દવા પર ડિસ્કાઉન્ટ ના બોર્ડ નહીં લગાવવા માટે ગુજરાતના કેમિસ્ટોને તાકીદ કરવામાં આવી છે જે કેમિસ્ટઓ દ્રારા ડિસ્કાઉન્ટ ના બોર્ડ લગાવવામાં આવશે તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે તેવી ચેતવણી ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ જશુભાઈ પટેલએ આપી છે. સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતના ૩૫૦૦૦ કેમિસ્ટ ના યોજાયેલા વર્કશોપ દરમિયાન કેટલાક તો ફાર્માસિસ્ટ તગડો નફો મેળવવાની લાલચે નકલી દવા ધાબડી દેતા હોવાનું સામે આવ્યું છે જેના લીધે એસોસિએશન બદનામ થાય છે અને જન સ્વાસ્થ્ય સામે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે આથી એસોસિએશન દ્રારા ફાર્મસી લો હેઠળ લાઇસન્સ રદ કરવા માટેની ચેતવણી આપી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, જો કોઈપણ દવાની દુકાન ધારક પોતાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવું બોર્ડ લગાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે એક નિવેદન કરીને ગુજરાતના મેડિકલ સંચાલકોને કડક શબ્દોમાં કહ્યું છે કે, કોઈપણ વ્યકિત પોતાની દવાની દુકાન પર દવા પર ડિસ્કાઉન્ટ આપાવમાં આવશે એવું બોર્ડ નહીં મારી શકે અને જો કોઈ દુકાન ધારકે દુકાન પર ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવ્યું હશે તો કડક કાર્યવાહી થશે અને તેનું લાયસન્સ રદ કરવામાં આવશે.
રાયના મોટાભાગના શહેરોની અનેક દવાઓની દુકાનમાં ડિસ્કાઉન્ટના બોર્ડ મારવામાં આવેલા હોય છે. જેની પર ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોશિએશને લાલ આખં કરીને ચેતવણી આપી છે. હવે ગુજરાતમાં દવાની દુકાન દવાઓમાં ડિસ્કાઉન્ટના બોર્ડ લગાવી શકાશે નહીં. જો આવું થશે તો ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમનું લાયસન્સ રદ કરી દેશે તેમ કડક ભાષામાં જણાવ્યુ છે.
એઆઈઓસીડીના માનદ સચિવ રાજીવ સિંઘલે જણાવ્યુ છે કે, ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ ૧૦થી ૨૦ ટકા માર્જિનના દવાના ધંધામાં ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કેવી રીતે અપાય છે તે જ એક મોટો સવાલ છે. બજારમાં ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ વાત ધ્યાને આવતા એસોશિએશન દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટિફિકેશન પાછું ખેંચે તેવી વર્કશોપમાં માંગણી ઊભી થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech