વિવિધ સ્પર્ધાના આયોજનો: વિજેતાઓને કરાશે પુરસ્કૃત
પુસ્તકાલય પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા માટે વર્ષ 1968 થી સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ 14 થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આના અનુસંધાને ખંભાળિયામાં જુની મામલતદાર કચેરી પરિસરમાં (કલ્યાણરાયજી મંદિર પાસે) આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે પણ તારીખ 14 થી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં વેશભૂષા સ્પર્ધા, ચિત્રકલા, રંગોળી અને ઇન્ડોર ગેમ્સ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ રોકડ ઈનામ વડે પુરસ્કૃત કરવામાં આવશે . આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તારીખ 13 નવેમ્બર સુધીમાં પુસ્તકાલય ખાતે નિશુલ્ક નોંધણી કરાવવાની રહેશે. આ અંગેની વધુ માહિતી માટે સરકારી જિલ્લા ગ્રંથાલય ખંભાળિયાની રૂબરૂ મુલાકાત લેવા અથવા મોબાઈલ નંબર 84601 11087 ઉપર સંપર્ક સાધવા મદદનીશ ગ્રંથપાલની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech