વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે દીપડો દેખાયો, ઘેટાં-બકરાંનું મારણ કર્યું

  • April 07, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર નજીક અવારનવાર દીપડાઓ ચડી આવતા હોવાના સમાચારો સામે આવતા હોય છે, ત્યારે ફરી ગતરાત્રીના ગાયત્રી મંદિરની આસપાસ દીપડાએ દેખા દીધી હતી અને ત્યા આવેલ એક ઘેટા-બકરાના વાઢમાં ઘૂસી જઈ ૬ ઘેટા અને ૨ બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. હાલ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ શરૂ કરી છે.


માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક ગતરાત્રીના દીપડો ચડી આવ્યો હતો અને અહીં આવેલ જાદવભાઈ ચારોલિયાના પશુ વાડામાં ઘુસી અને ઘેટા-બકરાના વાઢમાંથી ૬ ઘેટા અને ૨ બકરાનું મારણ કર્યુ હતું. આ બાબતે ફોરેસ્ટ ઓફિસર નરોડીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર વિડીની નજીક હોવાથી અવારનવાર અહીં દીપડા આવતા જતા હોય છે ત્યારે હાલ અહીં દીપડાને પકડવા માટે પીંજરું મુકવા સહિતની કામગીરી વન વિભાગે શ‚ કરી છે, જેથી ટૂંક સમયંમાં જ આ દીપડાને પાંજરે પુરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application