રાજકોટ શહેરમાં છેલ્લા ૨૧ વર્ષથી રેવન્યુ, સિવિલ તથા ક્રિમિનલ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતા અને ટાઈટલ ક્લિયર કારર્કિદી ધરાવતા જાણીતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી રાજેન્દ્રસિંહ એચ.ઝાલા (રાજભા ઝાલા)ને કેન્દ્ર સરકાર તરફથી તાજેતરમાં નોટરી મેજીસ્ટ્રેટ તરીકે નિમણુક કરવામાં આવેલ છે. રાજકોટ બાર એસો.ના આજીવન સભ્ય અને રાજકોટ રેવન્યુ બારના સ્થાપક મેમ્બર તથા રાજકોટ ડીસ્ટ્રીકટ નોટરી એસો.ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજાવનાર રાજભા ઝાલા પાટડી-ધામાનું માં શક્તિ મંદિર, બગદાણા બાપા સીતારામ ૫.પુ. બજરંગ દાસ બાપુ, ઘુનડા આશ્રમના પ.પુ. હરીરામબાપા તથા ગધેથડ ગાયત્રી આશ્રમના પ.પુ. લાલબાપુના અનન્ય સેવક છે. ઝાલા લો ફર્મ નામે ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર સર્કલ પાસે, ગાંધીગ્રામ, સદભાવના હોસ્પીટલની બાજુમાં દ્વારીકા પ્રાઈડ કોમ્પલેક્ષમાં ફર્સ્ટ ફલોર પર ઓફીસ ધરાવે છે. બીજેપી લીગલ સેલ અને વોર્ડ નં.૧ માં કાર્યરત છે. રવિ રેસીડેન્સીના લીગલ સલાહકાર છે. આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ-ગાંધીગ્રામ સંચાલીત ક્ષત્રિય સમાજ ભુવનના નિમાર્ણમાં મહત્વનું યોગદાન છે. તેમના પુત્ર જયદેવસિંહ આર. ઝાલા પણ પિતાના પગલે વકીલાત ક્ષેત્રે કાર્યરત છે. આ તકે તેમના મો.૯૦૬૭૯-૭૨૬૭૨ તેમજ ૯૮૨૪૩-૭૬૩૯૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech