જામનગરના વાઘેરવાડામાં ગઈ રાત્રે જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે બગડાટી

  • August 22, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ તંત્ર દોડતું થયું


જામનગરના વાઘેરવાડામાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતના મન દુઃખના કારણે બઘડાટી બોલી ગઈ હતી, અને મારામારીમાં એક જૂથના ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને  સિટી એ.ડિવિઝન નો પોલીસ કાફ્લો દોડતો થયો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જુનિ અદાવત ના કારણે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એક જૂથ ના કેટલાક હુમલા ખોરો દ્વારા હથિયારો સાથે ધસી આવી ચાર યુવાનો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા, જેથી વાઘેરવાડા વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.


આ હુમલાના બનાવવામાં ઇજાગ્રસ્ત બનેલા અખ્તર (અકુ) ઇકબાલભાઇ સચડા, જાવેદ આદમભાઇ ગજીયા, શબ્બીર હુસેનભાઇ ગંઢાર અને ઝુબેર મુનાવરભાઇ ભાયા નામના ચાર યુવાનોને નાની મોટી ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.


આ ઉપરાંત વાઘેરવાડા વિસ્તારમાં પણ પોલીસ ટુકડીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને હુમલા ના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application