મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ અટકી નથી. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 128 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. ત્યારે હજુ પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવમાં આવ્યું છે. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મંડીના ઓટ પોલીસ સ્ટેશન હેઠળના મંડી-મનાલી નેશનલ હાઈવે પર હનોગી બ્રિજ પાસે બસની રાહ જોઈ રહેલા એક યુવકનું પહાડી પરથી પડેલા પથ્થરથી અથડાવાથી મોત નીપજ્યું છે. મૂળ નેપાળનો આ યુવક તેના મિત્ર સાથે હનોગી આવ્યો હતો. કુલ્લુ પાછા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેની ઓળખ શમશાની તરીકે થઈ છે. ભૂસ્ખલનને કારણે શિમલા-કિન્નૌર NH 20 કલાક અને ચંદીગઢ-મંડી NH 13 કલાક બંધ રહ્યું હતું. આખી રાત લોકો વાહનોમાં અટવાયા હતા. સવારે વન-વે ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. સાંજ સુધી રાજ્યમાં 128 રસ્તાઓ, 44 વીજ ટ્રાન્સફોર્મર અને 67 પીવાના પાણીની યોજનાઓ અટવાયેલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech