જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર યાત્રા રૂટ પર ભુસ્ખલન થયાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનને કારણે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયેલી બે મહિલા શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે. એક બાળકી પણ ઘાયલ થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વૈષ્ણોદેવી હિમકોટી પર્વત પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયાની થોડી જ સેકન્ડોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ થઈ ગઈ.
ભૂસ્ખલનને કારણે હિમકોટી રોડ પર ઘણો કાટમાળ પડ્યો છે. પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. કારણ કે સતત વરસાદ પડી રહ્યો છે. વૈષ્ણોદેવીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે ભૂસ્ખલન થયું હતું. હિમકોટમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હાલ યાત્રાને જૂના રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે. ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે કટરાથી માતા વૈષ્ણો દેવી ભવન સુધીની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બંને સ્ત્રી ભક્તોના છે. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પરંતુ આ પૈકી બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના CEOએ જણાવ્યું કે, માતા વૈષ્ણોદેવી શ્રાઈન ટ્રેક પર પથ્થર પડવાની અને ભૂસ્ખલનની ઘટના બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.
બેટરી સેવા પણ બંધ
હિમકોટી પર્વતમાં ઘાયલોને શોધવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોમાં એક બાળકી પણ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર 3 થી 4 લોકો ઘાયલ છે. હિમકોટી રૂટ પરથી મુસાફરી હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. બેટરી કાર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે યાત્રા જૂના પરંપરાગત રૂટ પરથી શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech