રાજકોટ-કાનાલૂસ વચ્ચે ડબલ ટ્રેક માટે જમીન સંપાદન કાર્યયાહી

  • May 24, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-કાનાલૂસ વચ્ચે રેલ્વે દ્વારા ડબલીંગનું કામ કરવામાં આવનાર છે. આ માટે જમીન સંપાદન કાર્યવાહી ચાલી રહી છે.અમદાવાદથી રાજકોટ વચ્ચે ડબલીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યા પછી હવે રાજકોટ-કાનાલૂસ વચ્ચે ડબલીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ માટે જરી જમીન સંપાદન કરવાની થાય છે. આથી રેલ્વે મંત્રાલય દ્વારા જમીન સંપાદન હેતુ માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જામનગર શહેર, ગ્રામ્ય નવા ગામ (ઘેડ),જુના નાગનાની આશરે 21,951 ચો.મી. જમીન સંપાદાન કરવાની થાય છે. આ માટે 30 દિવસનો સમયગાળા આપવામાં આવ્યો છે. જો કોઇનેે વાંધો રજૂ કરવો હોય તો પ્રાંત અધિકારી (ગ્રામ્ય) જામનગર સમક્ષ લેખિતમાં કારણો સાથે વાંધાઓ રજૂ કરવાનાં રહેશે. જયં અરજદારને સાંભળ્યા પછી સક્ષમ અીધકારી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application