જામનગરમાં ગં.સ્વ. લલીતાબેન વલ્લભભાઈ વારીયાનો સંથારો સીજી ગયો

  • July 12, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બપોરે નિવાસસ્થાનથી નીકળી પાલખી યાત્રા

જામનગરમાં ગં. સ્વ. લલિતાબેન વલ્લભભાઈ વારીઆ (ભાણવડ નિવાસી હાલ જામનગર)એ ગત તા. ૫.૭.૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૧૦-૪૫ કલાકે સંથારો ગ્રહણ કરેલ હતો. તે ગઈકાલે તા.૧૧ મંગળવારના રાત્રે ૧૧-૧૭ વાગ્યે સીજી ગયો છે.
  જેઓની પાલખી યાત્રા આજે તા. ૧૨.૭.૨૦૨૩ ને બુધવાર ના ૨.૩૦ વાગ્યે તેઓના નિવાસ સ્થાન વાલકેશ્વરી નગરીમાં સાયન્સ સ્કૂલ પાસે વિનાયક એપાર્ટમેન્ટ પાસેથી  નીકળી હતી. જ્યારે આજે સવારે ૮.૦૦ વાગ્યા થી ૧૨.૩૦ વાગ્યા સુધી તેઓના દર્શનાર્થે અનેક જૈન જૈનેત્તર ભાઈઓ બહેનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application