મુંબઈના વીરા દેસાઈ રોડ પર ચોરોએ અનુપમ ખેરની ઑફિસમાં તોડફોડ કરી હતી અને ઘણી વસ્તુઓની ચોરી કરી હતી. તેણે પોતે આ માહિતી પોતાના એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. તેણે પોતાની ઓફિસનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તેણે બતાવ્યું કે ચોરી બાદ તેની ઓફિસની હાલત કેવી હતી. તેના કેપ્શનમાં તેણે કહ્યું હતું કે ચોરોએ ફિલ્મના નેગેટિવ પણ ચોરી લીધા હતા. તેણે આ માટે એફઆઈઆર પણ નોંધાવી હતી. હવે આ કેસમાં પોલીસે બે ચોરને કસ્ટડીમાં લીધા છે.
અહેવાલો અનુસાર, અનુપમની ઓફિસમાં થયેલી ચોરીના કેસમાં માજિદ શેખ અને મોહમ્મદ દલેર બહરીમ ખાન નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની ઓફિસમાંથી 4.15 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. ઓશિવરા પોલીસે અભિનેતા અનુપમ ખેરની મુંબઈ ઓફિસમાં ચોરીના આરોપમાં માજિદ શેખ અને મોહમ્મદ દલેર બહરીમ ખાન નામના બે લોકોની ધરપકડ કરી છે. આ બંને સીરીયલ ચોર છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરીઓ કરે છે.
અનુપમ ખેરની ટ્વીટ
અનુપમે ટ્વીટમાં લખ્યું હતું કે, મારી વીરા દેસાઈ રોડ ઑફિસમાં ચોરી થઇ છે.જેમાં બે ચોરોએ મારી ઑફિસના બે દરવાજા તોડી નાખ્યા અને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આખી સેફ લઈ ગયા (જે કદાચ તેઓ તોડી શક્યા નહોતા) અને અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મના નેગેટિવ. જે એક બોક્સમાં હતા, તે ચોરી ગયા હતા. અમારી ઓફિસે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ખાતરી આપી છે કે ચોરોને બહુ જલ્દી પકડી લેવામાં આવશે. કારણકે સીસીટીવી કેમેરામાં બંને પોતાના સામાન સાથે ઓટોમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. પોલીસ આવે તે પહેલા આ વિડિયો મારી ઓફિસના લોકોએ બનાવ્યો હતો!
અનુપમ ખેરના ફિલ્મોની વાત કરીએ તો તેમની પાસે ઘણા પ્રોજેક્ટ છે. જેમાં આવતા વર્ષે રિલીઝ થનારી 'તન્વી ધ ગ્રેટ'નો સમાવેશ થાય છે. આ વર્ષે તેમના જન્મદિવસ પર તેમની ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય તે અનુરાગ બાસુની 'મેટ્રો', 'વિજય 69', 'ધ કર્સ ઓફ દમયાન' અને 'ધ સિગ્નેચર' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech