કુમારી શૈલજાએ મનોહર લાલની ઓફર ઠુકરાવી, કહ્યું – હું ક્યાંય જઈશ નહીં

  • September 23, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સિરસાથી કોંગ્રેસ સાંસદ કુમારી શૈલજા ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલે પણ તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરી હતી. આ દરમિયાન એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કુમારી સેલજાએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. તેમણે કહ્યું, કે મારી નસોમાં કોંગ્રેસનું લોહી છે. હું ક્યાંય જઈશ નહિ.




જ્યારે કુમારી શૈલજાને પૂછવામાં આવ્યું કે શું તે ભાજપમાં જોડાઈ રહી છે? હાલ આ પ્રશ્ન રાજકીય વર્તુળોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. તેના જવાબમાં સેલજાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં જ છું. ભાજપમાં જોડાવાનો પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું કે, ડરેલા લોકો આવા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.




કુમારી શૈલજા ક્યારે પ્રચાર કરશે?



જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે હજુ સુધી ચૂંટણી પ્રચારમાં ભાગ ન લેવાનું શું કારણ છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ટિકિટ વિતરણ બાદ તમામ ઉમેદવારો વ્યસ્ત હતા. હવે કાર્યક્રમો થઈ રહ્યા છે, ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં તમને મળીશ.




હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી રહી છે? શું લોકસભાની જેમ પરિણામ પણ કોંગ્રેસની તરફેણમાં આવશે? આ સવાલના જવાબમાં કુમારી શૈલજાએ કહ્યું કે, હા અલબત્ત અમે હરિયાણામાં મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ. હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.




કોણ બનશે હરિયાણાના સીએમ?


જો કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવવામાં સફળ થાય તો કોણ બનશે મુખ્યમંત્રી? કુમારી શૈલજા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કે રણદીપ સુરજેવાલા? કુમારી સેલજાએ કહ્યું કે, સીએમનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. જણાવી દઈએ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા બાદ કુમારી શૈલજા હરિયાણામાં પ્રચાર કરતી જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application