વિરોધ: રાજકોટ લોકસભાના ઉમેદવાર પસોતમ રૂપાલાના નારી વિશેના શબ્દોચ્ચારથી ક્ષત્રિય સમાજમાં ઉઠેલો રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે પ્રચાર ઝૂંબેશ પણ ઉમેદવારો દ્રારા તેજ બનાવાઈ છે. આવા સમયે પુષ્કરભાઈ મેઈન રોડ પર પ્રધુમન હાઈટસ બિલ્ડીંગના બેંકવેટ હોલમાં પરસોતમભાઈ રૂપાલાને બોલાવીને સ્નેહમિલન તથા ભોજન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. રૂપાલા આવવાના હોવાથી ક્ષત્રિય યુવકોને જાણ થતાં પ્રદયુમન હાઈટસ બહાર યુવાનો એકત્રિત થઈ ગયા હતા. રૂપાલા હાય–હાયના નારા લગાવાયા હતા. પોલીસ દોડી આવી હતી. એસીપી રાધિકા ભારાઈ તેમજ સ્ટાફ દ્રારા ખાનગી કાર્યક્રમ હોવાનુંુ કહી અટકાવવા પ્રયાસ થતાં ક્ષત્રિય અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા દ્રારા વિરોધ ઉઠાવીને કહેવાયું કે આ કોઈ ખાનગી કાર્યક્રમ ન કહેવાય. પત્રિકા બનાવાઈ છે સ્નેહમિલન સમારોહ, ભોજન સમારોહ યોજાયો છે. ક્ષત્રિય વિસ્તારમાં આવીને ઉલ્ટાના ઉશ્કેરવા કે વૈમન્યશ્ય વધે તેવા કાર્યક્રમો હોવાનું કહી વિરોધ ઉઠાવાતા કાર્યક્રમમાં અફડાતફડી થઈ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાનના ઘરે ફાયરિંગ કરનાર શૂટર્સના નિશાન પર વધુ 2 અભિનેતા પણ હતા
May 09, 2024 11:01 AMખંભાળિયાના બારાડી બેરાજા ગામે શુક્રવારે મોદી - માવાણી પરિવારનો હવન
May 09, 2024 11:00 AMશું તમને ખ્યાલ છે રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય આ દેશ માટે પણ લખ્યા છે રાષ્ટ્રગાન?
May 09, 2024 10:59 AMખંભાળિયા: બાળકો માટેના સમર કેમ્પમાં બાળકોએ કર્યું માતા પિતાનું પૂજન
May 09, 2024 10:59 AMખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
May 09, 2024 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech