આજકાલ ધૂમ્રપાન જેવી આદતો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગઈ છે. આ ઉપરાંત લોકો અન્ય ઘણા પ્રકારના તમાકુ ઉત્પાદનોનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. તમાકુની થોડી માત્રા પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. લોકોને તેનાથી થતા નુકસાન વિશે જાગૃત કરવા દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે.
શું છે પેસિવ સ્મોકિંગ ?
જે લોકો ધુમ્રપાન કરે છે તેની સાથે ઉભેલા લોકો કે જે ધુમ્રપાન નથી કરતા તે છે પેસિવ સ્મોકર. એટલે કે ધુમ્રપાન કરવાથી એવા લોકોને પણ નુકસાન થાય છે જે આસપાસ હોય છે. જો વ્યક્તિ સિગારેટ પીતા હોય એ વ્યક્તિની બાજુમાં ઉભા રહે છે અને તેનો ધુમાડો તેને નુકસાન પ્ડોન્ચડી શકે છે. તો તે વ્યક્તિ પેસિવ સ્મોકિંગ કરે છે એવું કહેવાય.
લોકો મોટાભાગે ધૂમ્રપાન માટે તમાકુનો ઉપયોગ કરે છે. તે માત્ર ધૂમ્રપાન કરનારાઓને જ ગંભીર નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેની આસપાસના લોકોને પણ અસર કરે છે. ધૂમ્રપાનના વધતા જતા ચલણને કારણે ઘણા લોકો પેસિવ અથવા સેકન્ડહેન્ડ સ્મોકિંગનો શિકાર બન્યા છે અને આના કારણે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થાય છે. જેમાં ધૂમ્રપાન ન કરો તો પણ સ્વાસ્થ્ય જોખમમાં રહે છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો છે.
ઊંડા શ્વાસ લેવાની કસરત કરો
પેસિવ સ્મોકિંગના ધુમાડાને ટાળવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે ફેફસાંને મજબૂત બનાવવા. ઊંડા શ્વાસ લેવાની કસરત ફેફસાંની ક્ષમતા વધારવા અને તેમાંથી ઝેર દૂર કરવામાં સૌથી અસરકારક સાબિત થશે. આ માટે કપાલભાતિ અને અન્ય પ્રાણાયામ વગેરે અસરકારક સાબિત થશે.
સ્વસ્થ આહારનું પાલન કરો
કોઈપણ પ્રકારના રોગથી રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય તે મહત્વપૂર્ણ છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ખોરાક લેવાથી સેકન્ડ હેન્ડ સ્મોકિંગથી થતા નુકસાનનો સામનો કરવામાં મદદ મળી શકે છે. આ માટે આહારમાં બેરી, સાઇટ્રસ ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરી શકો છો.
નિયમિત વ્યાયામ કરો
નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફેફસાની ક્ષમતા અને તેના કાર્યને સુધારવા માટે દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો. આ માટે વૉકિંગ, સ્વિમિંગ અને યોગ વગેરે કરી શકો છો.
એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો
બાહ્ય વાતાવરણ બદલી શકાતુ નથી. ત્યારે ઘરને સ્વચ્છ બનાવવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકો છો. આ ઘરમાં હાજર ધુમાડો અને અન્ય પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરશે.
પ્રકૃતિમાં સમય પસાર કરો
જો નિષ્ક્રિય ધુમાડાના જોખમને ટાળી શકતા નથી તો દરરોજ પ્રકૃતિમાં એકથી બે કલાક પસાર કરવાનો પ્રયાસ કરો. બગીચા, તળાવના કાંઠે કે ખુલ્લા મેદાનોમાં દરરોજ સમય પસાર કરવાથી તાજી હવા મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech