આજે શ્રાવણ માસની સોમવતી અમાસ છે. અમાસના દિવસે પિતૃઓને અર્પણ, પિંડ દાન અને પિતૃ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગૌદાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. અમાસનો દિવસ પૂર્વજો અને પિતૃઓને યાદ કરવાનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ, શ્રી હરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસને પિથોરી અમાસ અને શ્રાવણી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોમવતી અમાસનાં શુભ મુહૂર્ત
અમાસ તિથિ 2જી સપ્ટેમ્બરે એટલે કે આજે સવારે 5:21 કલાકે શરૂ થઈ છે અને તિથિ 3જી સપ્ટેમ્બરે સવારે 7:24 કલાકે સમાપ્ત થશે.
સોમવતી અમાસ શુભ યોગ
આજના દિવસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણકે આજે શિવયોગ, સિદ્ધ યોગ અને મઘા નક્ષત્રની રચના થઈ રહી છે. શિવ યોગ ગઈકાલે સાંજે 5.50 વાગ્યે શરૂ થયો છે અને આ યોગ આજે સાંજે 6.20 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સિવાય સિદ્ધ યોગ આજે સાંજે 6.20 કલાકે શરૂ થશે અને 3 સપ્ટેમ્બરે સાંજે 7.05 કલાકે સમાપ્ત થશે.
સોમવતી અમાસ પૂજનવિધિ
આ દિવસે કોઈપણ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. ગાયત્રી મંત્રનો પાઠ કરો. આ પછી ભગવાન શિવની પૂજા કરો. તમારા પૂર્વજોને અર્પણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો. પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાંનું દાન કરો. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. પરણિત મહિલાઓ સોમવતી અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરે છે.
1. સોમવતી અમાસ પર ખીર બનાવો અને તેને ભગવાન શિવને અર્પણ કરો. ભગવાન શિવને ચઢાવવામાં આવેલી ખીરને ગરીબોમાં વહેંચો. પૂર્વજોની ખીર કોઈપણ પ્રાણીને ખવડાવો. સફેદ ચંદનને વાદળી દોરામાં બાંધીને પહેરો.
2. પારિવારિક સમસ્યાઓથી બચવા માટે સ્નાન કરો અને કેસરી રંગના કપડાં પહેરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પૂજા સાથે “ઓમ ગૌરીશંકરાય નમઃ” નો જાપ કરો. આરોગ્યપ્રદ ખોરાક તૈયાર કરો અને તેનું દાન કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech