વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં કાર્ડિયોવેસ્ક્યુલર રોગને કારણે 1.79 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા અને તેમાંથી 85 ટકા હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ હતા. આ આંકડો જોઈને તમે સમજી શકો છો કે હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા વિશે સાચી માહિતી હોવી કેટલી જરૂરી છે. જેથી સમયસર જીવન બચાવવામાં મદદ મળી શકે.
હાર્ટ એટેક એક જીવલેણ સ્થિતિ છે જેમાં હૃદયના કેટલાક ભાગોમાં લોહીની પૂરતી માત્રા ન પહોંચવાને કારણે ત્યાંના સ્નાયુઓ મૃત્યુ પામે છે. આ કારણે હૃદય લોહીને પમ્પ કરવામાં અસમર્થ બની જાય છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. જો કે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સૌથી મહત્વનું કારણ છે ધમનીઓમાં પ્લેગનું સંચય. પ્લેગ ધમનીઓને અવરોધે છે તેમાંથી લોહીને યોગ્ય રીતે પસાર થતું અટકાવે છે અને આ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
હદયરોગનો હુમલો
જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યા પછી સમયસર સારવાર ન મળે તો તેનાથી હૃદયને ગંભીર નુકસાન થઈ શકે છે અને ઘણા કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે. તેથી હાર્ટ એટેકના લક્ષણો વિશે માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લક્ષણો એવા છે જેને લોકો એસિડિટી સમજીને અવગણના કરે છે પરંતુ આ બેદરકારીને કારણે જીવ પણ ગુમાવવો પડી શકે છે.
ડોકટરે ખૂબ જ ચોંકાવનારી વાત જણાવી હતી કે મહિલાઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો સાવ અલગ-અલગ હોય શકે છે. જો કે કેટલાક લક્ષણો છે જે બંનેમાં જોવા મળે છે.
પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો :
છાતીની મધ્યમાં અથવા ડાબી બાજુએ દુ:ખાવો
ડાબા હાથમાં દુઃખાવો
ખૂબ પરસેવો વળવો
અસ્વસ્થતા અથવા નર્વસનેસ
સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો :
આ સિવાય પણ કેટલાક સામાન્ય લક્ષણો છે. જેમ કે છાતી પર દબાણ અનુભવવું, જડબા અને ગરદનમાં દુખાવો, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ, હાથમાં કળતર થવી. તેમજ ડોકટરે જણાવ્યું હતું કે આપણામાંથી ઘણા લોકો એવું માનતા હોય છે કે હાર્ટ એટેકમાં માત્ર છાતીની ડાબી બાજુએ દુખાવો થાય છે પરંતુ તે બિલકુલ જરૂરી નથી. હૃદયના જ્ઞાનતંતુઓના વિસ્તરણને કારણે જડબાથી નાભિ સુધીના કોઈપણ ભાગમાં દુખાવો થઈ શકે છે. તેથી જો આવા કોઈપણ લક્ષણો અનુભવાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હાર્ટ એટેકના લક્ષણો ઘટાડવા માટે આ ટિપ્સને ફોલો કરવી જરૂરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાણીપુરીમાં મળી આવ્યા કેન્સર પેદા કરનારા કાર્સિનોજેનિક તત્વો
July 03, 2024 02:21 PMશું રિવર્સ વૉકિંગથી સ્વાસ્થ્યને લાભ થાય છે?
July 03, 2024 01:50 PMટેસ્લા કારની સ્ક્રીનમાં ચાઈનીઝ બાળકીએ શોધી મોટી સમસ્યા, ઈલોન મસ્કએ આપી પ્રતિક્રિયા
July 03, 2024 01:35 PMવરસાદના પાણીને કેવી રીતે મપાય છે? તેને કેમ લીટરમાં નથી માપવામાં આવતું?
July 03, 2024 01:07 PMઅમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ, જીવ બચાવવા ચાલતી બસમાંથી લોકોએ લગાવી છલાંગ
July 03, 2024 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech