બરડા ડુંગરના કિલેશ્ર્વર મહાદેવ મંદિરે સ્વતંત્રતાદિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

  • August 21, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કિલેશ્ર્વર મહાદેવ મંદિરે સ્વતંત્રતાદિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
૭૮ માં સ્વતંત્રતા દિવસ નિમિતે શ્રી રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર થી કિલેશ્ર્વર તિરંગા યાત્રા સાથે શ્રી કિલેશ્ર્વર મહાદેવના પ્રાચીન મંદિર કે જ્યાં શ્રાવણ માસના દિવસો હોય અને અનેક માનવ મહેરામણ ઉમટી પડયું હોય તેવી અતિ વિશેષ મહત્વના સ્થળ પર ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જે બરડા ડુંગરની ગોદમાં આવેલ અને ભારત દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જે બદલ શ્રી રાજા ગ્રપ ઓફ પોરબંદર આભારી છે,કિલેશ્ર્વર મંદિરના મેનેજમેન્ટના સભ્યો તથા ગ્રુપના સભ્યો જેમ કે રાજુભાઈ રાતડિયા, વિજયબાપુ,હરીશભાઈ ભુતિયા, કુલદીપ ગોસ્વામી, રામભાઈ ભુતિયા,બાલુભાઈ બાપોદરા,માનવભાઈ બાપોદરા, અમિતભાઈ ઓડેદરા, મહેશભાઈ ઓડેદરા,હિરેનભાઈ ઓડેદરા, વ્રજેશભાઈ ઓડેદરા, રાજુભાઈ ઓડેદરા,કેશુભાઈ પરમાર,જયરાજ ઓડેદરા તથા અન્યનો ખુબ દિલગીર સાથ આભાર વ્યક્ત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application