કિયારા-સિદ્ધાર્થના મહેંદી ફંક્શનમાં સાઉન્ડ સિસ્ટમ બગડતા પડ્યો રંગમાં ભંગ

  • February 07, 2023 04:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આવતીકાલે સાત ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાત ફેરા ફરી સાત જન્મના વચન લેશે. ત્યારે લગ્નની તમામ વિધી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યોજાયેલી મહેંદી ફંકશનમાં સાઉન્ડ સિસ્ટમ બગડવાની વાત સામે આવી હતી. સિસ્ટમ બગડતા દુલ્હા અને દુલ્હન બંને ગુસ્સે થયા હતા.


મીડિયા રીપોર્ટસ પ્રમાણે પાંચ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાયેલી મહેંદીની રસમમાં પણ ગાયન અને નૃત્યનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં દુલ્હા દુલ્હન પણ મહેમાનો સાથે નાચી રહ્યા હતા આ દરમિયાન સિસ્ટમાંથી અવાજ આવતો બંધ થઈ જતાં રંગમાં ભંગ પડ્યો હતો. આ રીતે ચાલુ નાચ ગાન સમયે સિસ્ટમમાં ખામી સર્જાતા દુલ્હા સિદ્ધાર્થ અને દુલ્હન કિયારા બંને ગુસ્સે ભરાયા હતા.


બોલીવુડમાં વધુ બે સ્ટાર લગ્નની વિધિઓથી જોડાવા જઈ રહ્યા છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના આગામી સાત ફેબ્રુઆરીના રોજ લગ્ન છે ત્યારે રવિવારથી બંનેના લગ્ન પહેલાની તમામ વિધી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સ્ટાર કપલના શાહી લગ્નમાં ખાસ મહેમાનો આવવાના શરૂ થઈ ગયા છે. જેમાં કિયારા અડવાણીની નાનપણની બહેનપણી ઈશા અંબાણી તેમના પતિ સાથે રોયલ લગ્નમાં હાજરી આપવા પહોચી હતી. આ ઉપરાંત કરણ જોહર, શાહિદ કપુર અને તેમના પત્ની તેમજ ઘણા સ્ટાર પણ હાજરી આપશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application