પોરબંદર-છાયા માટે ખવાસ જ્ઞાતિના હોદ્ેદારોની થઇ વરણી

  • May 28, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર-છાયા ખવાસ જ્ઞાતિના હોદ્ેદારોની વરણી થઇ છે અને જ્ઞાતિ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા  ચર્ચા થઇ છે.
ખવાસ જ્ઞાતી સમસ્ત પોરબંદર છાંયાની કાર્યવાહક સમિતીની ચૂંટણી તા.૨૫/૦૫/૨૦૨૫ને રવીવારના રોજ યોજવામાં આવેલ. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ થી ૨૦૩૦ સુધી જ્ઞાતીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં પ્રમુખ તરીકે વજુભાઇ અમુભાઇ એરડા સતત ત્રીજી વખત બીનહરીફ ચુંટાયેલા તેમજ ઉપપ્રમુખ તરીકે હરેશભાઇ બક્ષીમંત્રી તરીકે અશોકભાઇ ભીખુભાઇ ચૌહાણ સહ મંત્રી તરીકે સચીનભાઇ બાબુભાઇ એરડા સભ્યો તરીકે કેતનભાઇ રાઠોડ, રમણીકભાઇ રાઠોડ, કમલેશભાઇ નાથાભાઇ એરડા, સુરેશભાઇ ચૌહાણ, જે જે ચૌહાણ, ધર્મેશભાઇ કરશનભાઇ ચૌહાણ, રાકેશભાઇ હેમંતભાઇ ચૌહાણની નિંમણૂક કરવામાં આવેલ આ તમામ સભ્યો બિનહરીફ ચુંટાઇ આવેલ. આ ચૂંટણી પ્રક્રીયાના દિવસે જ્ઞાતીના ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ અને સર્વાનુમતે જ્ઞાતીના ઉત્કૃષ્ટ અને સેવાકીય કાર્યો કરવા સર્વને અભિનંદન સહ શુભેરછાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application