કેનેડી પુલનું કામ અઘ્ધરતાલ: ચોમાસામાં રસ્તો બંધ થવાની ભીતિ

  • June 06, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા શહેરમાં સવાસો વર્ષ જૂનો અડીખમ મનાતો કેનેડી બ્રિજ જે ઘી નદી પર આવેલો તે જર્જરિત હોય તથા બાંધકામને આટલા વર્ષો થયા હોય સિમેન્ટ તથા લોખંડ વગરના આ પુલને ચાલવા તથા વાહનો માટે જોખમી જાહેર થતા તંત્રના આદેશથી આ પુલ બંધ કરી નગરપાલિકા દ્વારા નદીમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યુ હતુ.

ખંભાળીયાના ધારાસભ્ય તથા મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ગ્રાંટ કરોડોની ફાળવીને આધુનિક પુલ મંજૂર કર્યો પણ મંજૂરીના છ માસથી વધુ સમય થવા છતાં નકશા પ્લાન તંત્રએ ના બનાવતા તથા ટેન્ડરિંગ પ્રક્રિયા ના થતા રસ્તાનું કામ ના થતા તથા પુલ જર્જરિત જોખમી હોય ઘી ડેમ છલકાય ત્યારે નદીનું પાણી ડાયવર્ઝનના રસ્તા પર ફરી વળતું હોય આ ચોમાસામાં પણ ખંભાળીયાથી પોરબંદર ભાણવડ તથા અનેક સોસાયટીઓમાં જતો આ રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ થતા લોકોને પાંચ કી.મી. ફરીને જવું પડશે! છ-છ માસથી પુલને મંજુરી, હજુ ટેન્ડર નહી છ છ માસથી મંજુર પુલનું પી.ડબ્લ્યુ.ડી. તંત્ર દ્વારા કાર્યવાહી ના કરતા હજુ ટેન્ડરિંગ પ્રક્રિયા ના થતા લોકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાઇ છે તથા સરકારી તંત્રની ઢીલી કામગીરી ભારે ટીકાપાત્ર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application