કેજરીવાલ હવે સુપ્રીમના શરણે

  • April 10, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાની ધરપકડ યોગ્ય ન હોવાની અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને રાહત આપી ન હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી દ્રારા તેમની ધરપકડ વાજબી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યેા છે અને કેજરીવાલ સુપ્રીમ અદાલત પહોચ્યા છે યાં તેમના વકીલો હાજર રહી કેસની સુનાવણી ની મગની કરશે. મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે તેમને રાહત આપી ન હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડી દ્રારા તેમની ધરપકડ યોગ્ય હતી.

આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યેા છે. યાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલના વકીલો આજે કોર્ટમાં હાજર રહેશે અને કેસની સુનાવણીની માંગ કરશે. હાઈકોર્ટમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્રારા તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. એવો પણ દાવો કર્યેા હતો કે, કહેવાતા એકસાઇઝ પોલિસી કૌભાંડ એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતં છે. ઇડી એ કથિત એકસાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી છે.હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, વરિ આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્રાજે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસનો નિર્ણય કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application