કેજરીવાલને રહેવું પડશે જેલમાં જ, હાઈકોર્ટે જામીન પર નિર્ણય રાખ્યો સુરક્ષિત

  • July 17, 2024 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સીબીઆઈની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 29 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, અમારે નિર્ણય લખવા માટે સમય જોઈએ છે. મોહરમ નિમિત્તે અદાલતોમાં રજા હતી, તેથી જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે આ કેસની સુનાવણી કરી. સીએમ કેજરીવાલે તેમની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે


ઈમરાન ખાનના કિસ્સાને સુનાવણીમાં ટાંક્યો

સિંધવીએ કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં કેટલાક દિવસો પહેલા જ કેજરીવાલને જામીન આપી દેવામાં આવ્યા હતા. હું સીબીઆઈનું સન્માન કરું છું. આપણે સૌએ સમાચારોમાં વાંચ્યું હશે કે ઈમરાન ખાનને એક બાદ એક કેસમાં જામીન આપવામાં આવ્યા, પરંતુ જે દિવસે તેઓ જેલમાંથી બહાર આવતાં એ જ દિવસે તેમની બીજા કેસમાં ધરપકડ કરવામાં આવતી. હું આ પ્રકારની ચીજો મારા દેશમાં જોવા માંગતો નથી.


કેજરીવાલને જેલમાં રાખવાનો ઈરાદો

કેજરીવાલના વકીલે જણાવ્યું કે કેજરીવાલને ત્રણ કોર્ટના આદેશોમાં રાહત આપી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પણ બે વાર વચગાળાના જામીન આપી ચૂકી છે. પરંતુ તેમના જેલમાં રાખવાના ઈરાદાથી સીબીઆઈએ તેમની તે જ સમયે ધરપકડ કરી, જ્યારે તેમને લાગ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે જેલમાંથી બહાર આવી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application