શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ભારતના ઘણા રાજ્યોમાં સવાર અને સાંજના સમયે હળવી ઠંડી પડી રહી છે. પરંતુ હવામાનમાં કોઈપણ ફેરફાર સ્વાસ્થ્ય અને ચહેરાની સુંદરતા પર ઊંડી અસર કરે છે. શિયાળાની શરૂઆત ઠંડા પવનો સાથે થાય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.
આ ઋતુમાં શુષ્કતા, ત્વચામાં તિરાડ, હોઠ ફાટવા, ત્વચા પર ફોલ્લીઓ અને ક્યારેક સોજો જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે શિયાળામાં ત્વચા માટે વરદાનથી ઓછી નથી. અહીં
દેશી ઘી
દેશી ઘી ખાવાનો સ્વાદ તો વધારે છે પણ ત્વચા માટે પણ વરદાનથી ઓછું નથી. શુદ્ધ દેશી ઘી તંદુરસ્ત ચરબી અને ઘણા વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે જે ત્વચાને ચુસ્ત રાખે છે અને તેને પોષણ આપે છે. ઘી ત્વચાને શુષ્કતાથી બચાવવાની સાથે તેને ચમકદાર અને મુલાયમ બનાવવાના ગુણ પણ ધરાવે છે. રસોડામાં રાખેલા ઘીનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ તેને ત્વચા પર લગાવવા માટે પણ કરી શકો છો. દેશી ઘીથી ચહેરા પર માલિશ કરવાથી ત્વચાનું રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.
કાચું દૂધ
શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે કાચું દૂધ ખૂબ જ સારું છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ચરબી અને પ્રોટીન હોય છે. આ માટે માત્ર કાચા દૂધમાં રૂ પલાળી રાખવાનું છે અને પછી તેનાથી ચહેરાપર મસાજ કરવાથી .દુધમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચાના ડાઘ અને ફોલ્લીઓને હળવા કરે છે.
મધ
મધ માત્ર ખાઈ જ શકાતું નથી પણ તેને ત્વચા પર પણ લગાવી શકાય છે. મધ લગાવવાથી ચહેરા પર ચમક તો આવે જ છે સાથે સાથે ત્વચા પણ કોમળ અને ચમકદાર બને છે. મધ લગાવવાથી ત્વચાના ઘા, ફોલ્લીઓ અને પિમ્પલ્સ આપોઆપ મટાડવા લાગે છે. ચહેરા પર ફેસ પેક અથવા મધ લગાવો અને પછી અડધાથી એક કલાક પછી, ચહેરાને પાણીથી સાફ કરો અને પછી પર નારિયેળ તેલ લગાવો. આમ કરવાથી તમારી ત્વચા એકદમ ચમકદાર બની જશે.
નાળિયેર તેલ
વાળ અને ચહેરાની સુંદરતા વધારવા માટે સદીઓથી નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચા પર કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તે ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને કોલેજનને પણ વેગ આપે છે, જે ત્વચાને કડક બનાવે છે. તમે નારિયેળનું તેલ સીધું ત્વચા પર લગાવી શકો છો ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech