બીગ બીના શો કોન બનેગા કરોડપતિની 16મી સીઝનની જાહેરાત
અમિતાભ બચ્ચનનો શૌ કોન બનેગા કરોડપતિની 16મી સીઝનની જાહેરાત થઈ ચૂકી છે. આ વચ્ચે બિગ બીએ શોના સેટ પરથી કેટલાક ફોટો શેર કર્યો છે. આવતીકાલ 26 એપ્રિલના રાત્રે 9 કલાકથી કૌન બનેગા કરોડપતિના રજીસ્ટ્રેશન શરુ થઈ જશે
સોની ટીવીનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ લાંબા સમયથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. શોની મોટી ફેન ફોલોઈંગ પણ છે. આ શો નાનાથી લઈ મોટી વયના લોકો પણ જોવાનું પસંદ કરે છે. અત્યારસુધી કેબીસીની 15 સીઝન આવી ચુકી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ચાહકો આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે. જે ટુંક સમયમાં આવશે. મેકર્સે કૌન બનેગા કરોડપતિની 16મી સીઝનની હાલમાં જાહેરાત કરી છે. બિગ બીએ શોના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.
26 એપ્રિલથી શરુ થઈ રહ્યું છે રજીસ્ટ્રેશન
મેકર્સે એક વીડિયો શેર કર્યો છે. કેબીસી 16ની જાહેરાત કરી હતી. આ સાથે જણાવ્યું કે, શો માટે 26 એપ્રિલના રોજ રજીસ્ટ્રેશન શરુ થઈ ચુક્યું છે. આ સમાચાર થી ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. બિગ બી કેબીસીના શૂટિંગમાં એટલા વ્યસ્ત છે કે, કારમાં જ જમી લે છે.
સેટ પરથી બિગ બીએ શેર કર્યો ફોટો
આ વચ્ચે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર સેટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. ફોટોમાં બિગ બી કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. તે કારમાંથી નીચે ઉતરી રહ્યા છે. આ દરમિયાન બિગ બી ખુબ કુલ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બ્લેક સુટમાં જોવા મળ્યા છે.આ ફોટો શેર કરી બિગ બીએ પોસ્ટ પણ લખી છે. બિગબીએ આગળ લખ્યું નોન સ્ટોપ શેડ્યુલ 9 કલાકથી શરુ થશે, 26 એપ્રિલના રાત્રે 9 કલાકથી કૌન બનેગા કરોડ પતિના રજીસ્ટ્રેશન શરુ થશે. ત્યારબાદ સ્પર્ધકોનું સિલેકશન થશે અને શોનું ટેલિકાસ્ટ કરવામાં આવશે.પરંતુ હજુ સુધી એ જણાવ્યું નથી કે, કેબીસી 16 ક્યારથી શરુ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech