સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.૨૪-૦૮-૨૦૨૪ ને શનિવારના રોજ કષ્ટભંજનદેવ દાદા વાઘા અને સિંહાસને ચોકલેટનો દિવ્ય શણગાર કરી સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
કષ્ટભંજનદેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે ૧૧:૦૦ કલાકે ચોકલેટનો અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ. આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારી વિવેકસાગર
સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસનને ૫૫૦૦ કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લડંન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. દાદાના સિંહાસન ચોકલેટનો શણગાર કરતા બે દિવસનો સમય લાગ્યો હતો. આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech