કિયારા અડવાણીનું ફિલ્મમાંથી પત્તુ કપાયુ
બૉલીવૂડ એક્ટર કાર્તિક આર્યનએ તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. વળી, ફિલ્મમાં વિદ્યા બાલનની 'મંજોલિકા' તરીકેની એન્ટ્રી ફરી એકવાર કન્ફર્મ થઈ ગઈ. હવે કાર્તિકે પણ ફિલ્મની લીડ એક્ટ્રેસની પુષ્ટિ કરી છે.
21મી ફેબ્રુઆરી એટલે કે આજે પહેલા બે પઝલ ફોટો શેર કરતી વખતે કાર્તિક આર્યને કહ્યું કે, 'ભૂલ ભૂલૈયા 3'ની લીડ એક્ટ્રેસની પઝલ ઉકેલો. કાર્તિકે એક નહીં પરંતુ બે પઝલ ફોટો શેર કર્યા છે અને કહ્યું છે કે માત્ર ખોટા જવાબો જ આપવા, હવે ચાહકો ફિલ્મની લીડ એક્ટ્રેસને શોધવામાં વ્યસ્ત છે, જેમાંથી મોટાભાગના લોકો કહી રહ્યા છે કે લીડ એક્ટ્રેસનું નામ 'તૃપ્તિ ડિમરી' છે. પછી આખરે કાર્તિકે આ કોયડો ઉકેલી નાખ્યો અને તૃપ્તિના નામ પર મહોર મારી દીધી છે.
ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 હૉરર-કૉમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ હશે. આ પહેલા ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 વર્ષ 2022માં રિલીઝ થઈ હતી જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણી લીડ રોલમાં હતી. આ પહેલા તેનો પહેલો ભાગ વર્ષ 2007માં આવ્યો હતો. ચાહકો લાંબા સમયથી ફિલ્મ ભૂલ ભુલૈયા 3ની રાહ જોઈ રહ્યા હતા અને હવે ફિલ્મ સાથે જોડાયેલી તમામ બાબતો એક પછી એક સામે આવી રહી છે.
તૃપ્તિ ડિમરીને ફિલ્મ ભૂલ ભૂલૈયા 3માં લીડ એક્ટ્રેસ તરીકે સાઈન કરવામાં આવી છે. કાર્તિકે શેર કરેલી ડિમરીની તસવીરના ટુકડા થોડા સમય પહેલા તૃપ્તિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મ ભૂલ ભૂલૈયા 3, દિવાળી 2024 ના રોજ રિલીઝ થશે. આ પહેલા વર્ષ 2022માં ફિલ્મ ભૂલ ભુલૈયા 2 રિલીઝ થઈ હતી જેમાં કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણી જોવા મળી હતી અને ફિલ્મનું ભૂત હતું 'તબ્બુ'. અગાઉના ભાગમાં પણ કલાકારો બદલાયા હતા અને ફરી એકવાર આવું બન્યું છે. ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 ની મુખ્ય અભિનેત્રી તૃપ્તિ દિમરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech