કાર્તિક આર્યને ટ્રાફિક પોલીસને આ કારણથી ભર્યો દંડ, 'શહઝાદા'ની સફળતા માટે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે ગયો હતો

  • February 18, 2023 03:03 AM 

Aajkaalteam

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનનું નવુ મૂવી આજે સિનેમા ઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. ત્યારે આ મૂવીનું નામ શહઝાદા છે અને મૂવીની સફળતા માટે તેઓ મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે ગયો હતો આ દરમિયાન તેમણે નો પાર્કિગમાં કાર રાખી હતી જેના કારણે તેમને દંડ ભરવાનો વારો આવ્યો હતો.


એક્ટર કાર્તિક આર્યનની શહઝાદા ફિલ્મ આજે સિનેમા ઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. પરંતુ ફિલ્મ હિટ જાય કે ન જાય તે પહેલા જ કાર્તિક આર્યનને આર્થિક નુકશાન ભોગવાનો વારો આવ્યો હતો. વાત એમ હતી કે આજે એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ કાર્તિક આર્યનની મૂવી શહઝાદા રીલીઝ થવાની હતી તે પહેલા કાર્તિક આર્યન ગણપતી બાપાના દર્શન માટે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા અને ફિલ્મની સફળતા માટે ગયો હતો. આ દરમિયાન તેમને કારનું પાર્કિગ ખોટુ કરી દિધુ હતુ. ત્યારે પોલીસ દ્વારા ખોટા પાર્કિગ કરવાના કારણે દંડનું ચલણ એક્ટર કાર્તિક આર્યનને આપવામાં આવ્યું હતુ.


મીડિયા રીપોર્ટસની માનીએ તો કાર્તિક આર્યનને પોલીસ સાથે થોડી મગજમારી થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે તેમણે પોતાની બ્લેક કલરની લકઝરિયસ કાર ખોટી રીતે પાર્કિંગ કરી હતી. જેને લઈને પોલીસ સાથે દલિલ બાજી પણ કરવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક પોલીસે ખોટા પાર્કિગના કારણે કાર્તિક આર્યનને દંડનું ચલાણ આપી દેવામાં આવ્યુ હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application