સાઉથની બહુચર્ચિત ફિલ્મ પુષ્પા-2 તેની રિલીઝ બાદથી વિવાદોમાં ઘેરાયેલી છે. ત્યારે પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેથી કરણ સેનાના રાજ શેખવતે રાજપૂતોને અપીલ કરી કે, ફિલ્મ મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે. પુષ્પા-2 ફિલ્મમાં લગાવત નિમ્ન કક્ષાની ટિપ્પણી સાથે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની લીડ રોલવાળી ફિલ્મ 'પુષ્પા 2'માં ફહાદ ફાસીલ નેગેટિવ રોલમાં જોવા મળે છે અને તેના પાત્રનું નામ ભંવર સિંહ શેખાવત છે. હવે આ ફિલ્મમાં વિલનની સરનેમ શેખાવતે કરણી સેનાને નારાજ કરી દીધી છે અને તેઓએ મેકર્સને ધમકી પણ આપી છે. કરણી સેનાના નેતાએ ફિલ્મ 'પુષ્પા 2'માં ફેરફાર કરવા કહ્યું છે અને જો તેમ નહીં કરવામાં આવે તો માર મારવાની ધમકી આપી છે.
રાજ શેખાવતે વીડિયો જાહેર કર્યો
કરણી સેનાના નેતા રાજ શેખાવતે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું છે કે, 'પુષ્પા 2 નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. જેમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. શેખાવત જ્ઞાતિ, જે ક્ષત્રિય સમુદાય સાથે જોડાયેલી છે, તે નીચા સ્તરે હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વિચારોની અભિવ્યક્તિના નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ લોકો વર્ષોથી ક્ષત્રિયોને બદનામ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાઓએ આ વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને બને તેટલી વહેલી તકે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દૂર કરવો જોઈએ. અન્યથા કરણી સેના ઘરમાં ઘૂસીને મારશે અને જરૂર પડશે તો કરણી સેના ગમે તે હદે જશે.
હુમલો કરવાની ધમકી આપી
વીડિયોમાં રાજ શેખાવત કહી રહ્યા છે, “તાજેતરમાં ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. શેખાવત, જે ક્ષત્રિય સમાજની એક જાતિ છે, તેનું નિરૂપણ ખરાબ રીતે કરવામાં આવ્યું હતું. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ફિલ્મ ઉદ્યોગ વર્ષોથી ક્ષત્રિય સમાજને બદનામ કરી રહ્યો છે અને ફરી બદનામ થયો છે. ફિલ્મ નિર્માતાએ શેખાવત શબ્દનો ઉપયોગ કર્યો છે, તેને હટાવી દેવો જોઈએ નહીંતર કરણી સેના તમને મારશે અને ઘરમાં ઘૂસી જશે અને જરૂર પડશે તો કરણી સેના કોઈપણ હદ સુધી જશે.
ક્ષત્રિય સમાજનું ફરી મહાસંમેલન
અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. ગુજરાત સરકારની સામે ફરી કરણી સેના મેદાને ઉતરશે. રાજ શેખાવતે આ મુદ્દે કહ્યું કે, સરકારના અત્યાચાર રોકવા માટે પ્રયાસ કરીશું. આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ રણશીંગું ફૂંકશે. 22 ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech