આવતીકાલથી સાતમ આઠમ તહેવારની શઆત થતી હોય જેથી પ્રવાસનધામ જૂનાગઢમાં પાંચ દિવસ સુધી પ્રવાસીઓનો ઘસારો રહેશે. શહેરના ફરવા લાયક સ્થળોમાં માનવ મહેરામણ ઉમટી પડશે. ગિરનાર રોપવે ખાતે પ્રવાસીઓએ પાંચ દિવસ દરમિયાન એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. તો બીજી તરફ ઉપરકોટ કિલ્લ ામાં પણ પ્રવાસીઓ ઉમટી પડશે, નવાબી સમયના સકરબાગ ઝુ, મ્યુઝિયમ, મકબરો, વિલીગડન ડેમ, સહિતના સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો રહેશે. આજે શનિવારથી જ રજાનો દિવસ હોય જેથી શનિવારથી બુધવાર પાંચ દિવસ સુધી જૂનાગઢ ઉપરાંત સાસણગીર ખાતે દેવળીયા પાર્કમાં પણ્ એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે અને પ્રવાસીઓની અવરજવર માટે બસોની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે. એશિયાની સૌથી ઐંચાઈ વાળા ગિરનાર રોપવેમાં પણ રવિવારથી બુધવાર સુધી એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓ ઉમટી પડશે આ ઉપરાંત જંગલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદ બાદ જટાશંકર ખાતે ખડખડ વહેતા પાણીના ઝરણાઓમાં પણ નાહવા લોકો પહોંચશે. જેથી તળેટી વિસ્તાર લોકોને ફરવા માટે સૌથી વધુ હોટ ફેવરિટ રહેશે. શહેરની મધ્યે આવેલ વિલીગડન ડેમ ખાતે પણ પ્રવાસીઓ ફરવા પહોંચશે.
પાંચ દિવસ રજાનો માહોલ હોવાથી જૂનાગઢ ઉપરાંત આસપાસના સતાધાર, ગાઠીલા, ખોડલધામ, વિરપુર, સોમનાથ સહિતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ પણ લોકો પહોંચશે. પ્રવાસીઓની સંખ્યા ધ્યાને લઈ પોલીસ દ્રારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech