જામનગર સિંધી સમાજમાં તા.૧૬ જુલાઈથી ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રતની શુભ શરૂઆત ધર્મગુ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં ધાર્મિક કાર્યો ની સમાગમ માં થઈ હતી જે બાદ ૪૦ દિવસ સુધી સમસ્ત સિંધી સમાજ દ્વારા ઘર ઘર ચાલિયા મહોત્સવ ના અનુષ્ઠાન માં નીતનેમ સાથે રોજ પૂજા અર્ચન તેમજ જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ એસ.એસ. ડબલ્યુ. સાંઈ પરિવાર અને સંત કંવરરામ મંદિર ચાલિયા સાહેબ સમિતિ દ્વારા દરરોજ રાત્રીએ અલગ અલગ પરિવારો માં પુજ્ય ચાલિયા સાહેબ મહોત્સવ અંતર્ગત ‘હર ઘર ઝુલેલાલ - ઘર ઘર ઝુલેલાલ’ ના નામરૂપી સત્સંગ ભજન આરતી પલ્લવ સિંધી છેજ ભક્તિમય આયોજન કરવામાં આવતા જે બાદ આખરી ૪૦માં દીને સંત કંવરરામ મંદિર નાનકપુરી ખાતે સામૂહિક ભહેરાણા સાહેબનો મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સિંધી સમાજ ભગવાન ઝુલેલાલ ના ચાલિયા મહોત્સવ ની આખરી રાત પર ભક્તિ ના નામમાં જોડાઈ ઇષ્ટદેવ ના નામ માં લીન થયો હતો ત્યારબાદ તા. ૨૫ ઓગસ્ટ શીતળા સાતમના ૪૧ માં દીને સમાપ્તિ અવસરે શમી સાંજે વરસતા વરસાદ માં મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો મળી પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) અને વ્રતની મટકી સાથે પગપાળા યાત્રા સાથે આયોલાલ ઝુલેલાલના નારા સાથે સરઘસ નીકળી આ સરઘસમાં ભકતજનો દ્વારા માથા પર પ્રજ્વલિત પુજ્ય ભહેરાણા સાહેબ અને ચાલીસા વ્રતની મટકી રાખી શહેરના નાનકપુરી સ્થિત સંત કંવરરામ મંદિરથી પ્રારંભ થઈ પવનચક્કી-ઓશવાળ હોસ્પિટલ સર્કલ-સુમેર કલબ રોડ-તળાવની પાળ મુખ્ય શહેરમાર્ગ પર ફરી મિગ કોલોની ખાતે આવેલ તળાવ કાંઠે વાજતે વાજતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સરઘસ યાત્રામાં મસ્તકે રાખેલ પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) ની રોશની થી માર્ગો પર રોશની ઝળહળી ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech