ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આગમાં ઓછામાં ઓછા 10 નવજાત શિશુઓના મૃત્યુ થયાના કલાકો પછી, રાજ્ય સરકારે શનિવારે મૃતકોના માતાપિતાને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ આ માહિતી આપી. હવે આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે.
આ મામલાની તપાસ માટે 4 ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી છે. આ તપાસ સમિતિનું નેતૃત્વ તબીબી શિક્ષણ અને તાલીમ વિભાગના મહાનિર્દેશક કરશે. આ ઉપરાંત મેડિકલ હેલ્થ સર્વિસના ડાયરેક્ટર, મેડિકલ હેલ્થ સર્વિસના એડિશનલ ડાયરેક્ટર અને ડાયરેક્ટર જનરલ ઑફ ફાયર દ્વારા નોમિનેટ કરાયેલા અધિકારીઓ સમિતિના સભ્યો હશે.
આ કમિટી આગ લાગવાનું પ્રાથમિક કારણ, કોઈપણ પ્રકારની બેદરકારી કે ખામીને ઓળખશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ભલામણો કરશે. આ કમિટીની રચના બાદ 7 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.
શું કહ્યું ડીએમએ?
ઝાંસીના ડીએમ અવિનાશ કુમારે જણાવ્યું કે વોર્ડમાં કુલ 49 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાંના બાળકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે 3 બાળકોની ઓળખ હજુ ચાલુ છે. એક બાળક હજુ પણ ગુમ છે. લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે, કમિશ્નર અને ડીઆઈજી દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech