ઉમરાળાના ખીજડીયા ગામે ધાર્મિક પ્રસંગે નવસારીથી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાએ પોતાના રૂપિયા ૩.૨૦લાખની કિંમતના ઘરેણાંની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ મુળ ઉમરાળાના ખીજડીયા ગામના વતની અને હાલ નવસારીના સીતારામનગરમાં રહેતા લીલીબેન ધનાભાઇ ભરવાડે ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત તારીખ ૨૯-૧ના રોજ ધાર્મિક પ્રસંગ સબબ નવસારીથી મુંબઈ-બગસરા વચ્ચે ચાલતી હરિદર્શન ટ્રાવેલ્સની બસ નંબર જી. જે.૧૪ઝેડ ૫૪૫૫માં વતન ખીજડીયા ગામે આવ્યા હતા.
દરમ્યાનમાં પોતાની સાથે રહેલા રૂપિયા ૩.૨૦લાખની કિંમતના ઘરેણાં સાથેના થેલાની તપાસ કરતા થેલો કોઈ ચોરી કરી લઈ ગયાનું માલુમ પડ્યું હતું. આ અંગે ઉમરાળા પોલીસે લીલીબેનની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech