જેતપુર તાલુકાના કેરાળી ગામે ગામના બે વિસ્તારોને તેમજ ત્રણેક ગામને જોડતો છાપરવાડી નદી પર આવેલ બેઠા પુલ પરથી ગામના ભુપતભાઇ ભડેલીયા નામના ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડતા ટ્રેકટર પુલના ગાબડાંમાં ઘુસી ગયું હતું અને ખાંગુ થઈ ગયું હતું.સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ ટ્રેકટરમાં ભરેલ ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હતાં. જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.છાપરવાડી નદી પરનો આ પુલ પર દરવર્ષે ચોમાસા દરમિયાન ગાબડાં પડી જય છે છે જે અંગે ગ્રામજનોએ સરકારમાં દરવર્ષે રજુઆત કરે છે છતાંય સરકારે કઈ ધ્યાન ન આપતા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરે છે. અને ગામમાંથી ફાળો કરી સ્વખર્ચે પુલને રીપેર કરાવવો પડે છે. ગામના સરપંચ કલ્પેશ ભડેલીયાએ જણાવેલ કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ રજુઆત કરી છે એ વર્ષે સરકાર તરફથી નવો અને ઉંચો પુલ બનાવવાની બાંહેધરી મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech