ભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા

  • January 24, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટિયામાં એલ.એન.પી. શૈક્ષણિક સંકુલની અંદર નવોદય પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવેલ હતું. પરીક્ષા આપવા આવેલ તમામ નાના બાળકો માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટી રામભાઇ દ્વારા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગેટ ઉપરથી લઇને સીટ નંબર સુધી ખુદ શિક્ષકોએ બેસાડયા હતા અને મીઠું મોઢું કરાવ્યું હતું. તમામ વિદ્યાર્થીના નામ તથા સીટ નંબર ઓએમઆર સીટમાં શિક્ષકો દ્વારા ભરી આપવાથી વિદ્યાર્થીઓનો ભય દૂર કરવામાં આવેલ હતો.


જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં એડમીશન લેવા માટે સીબીએસસી દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવામાં આવે છે, જેમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ધોરણ-૧૨ નો તમામ ખર્ચો સરકાર દ્વારા આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સંચાલક લોકસેવક પ્રિયંકભાઈ દ્વારા તમામ સ્ટાફ, વાલીઓ અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application