જ્હાનવી કપૂરની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • July 19, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું પિતા બોનીએ જણાવ્યું

બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની તબિયત ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક્ટ્રેસના બીમાર થવાનું કારણ ફૂડ પોઈઝનિંગ જણાવવામાં આવી રહ્યું છે. જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.જો કે તેની તબિયત સુધારા પર હોવાની તબીબી સુત્રોએ જણાવ્યું હતું. એક્ટ્રેસની છેલ્લા થોડા દિવસોથી તબિયત બરાબર ન હતી. હેલ્થમાં કોઈ સુધાર ન થવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એક્ટ્રેસના પિતા બોની કપૂરે આ વાતની પુષ્ટિ કરી છે.
બોની કપૂરે જણાવ્યા અનુસાર તે પાછલા ઘણા દિવસોથી ખૂબ જ કમજોરી અનુભવી રહી હતી. જેના બાદ આજે તેમની હાલત વધારે બગડી અને તેના બાદ જાહ્નવીને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે જાહ્નવીની હાલત હવે સ્ટેબલ છે અને એક-બે દિવસમાં તેમને રજા આપી દેવામાં આવશે.


ઉલઝનું ટ્રેલર લોન્ચ
વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો જાહ્નવીની ફિલ્મ ઉલઝનું હાલમાં જ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર પેંસને ખૂબ જ પસંદ આવ્યું. એક્ટ્રેસના કામને પણ ખૂબ જ સરાહના મળી. ઉલઝ જલ્દી જ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે. ફિલ્મમાં જાહ્નવી એકદમ અલગ અવતાર અને અંદાજમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application