રાણાકંડોરણા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જનતા તાવડાનું આયોજન

  • August 22, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાણાકંડોરણા ગામે જનતા તાવડાનું બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.
રાણાકંડોરણા ના બ્રહ્મસમાજ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મસમાજ ના યુવા આગેવાનો દ્વારા આ અસહ્ય મોંઘવારીમાં નાના તથા મજુર વર્ગને પરવડે તેવા,  ન નફો ન નુકશાનના હીસાબે ફરસાણ તથા મીઠાઈઓ ચોખા ઘીથી બનાવી બિલકુલ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવશે. તો આ ચોખ્ખું અને શુદ્ધ ફરસાણ તથા મીઠાઈઓ લેવા માટે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા.૨૧-૮ થી ૨૫-૮ સુધી બ્રહ્મસમાજ પાસે જનતા તાવડો ખુલ્લો મૂકેલ છે.તો આજુબાજુના વિસ્તારના લોકોને વ્યાજબી ભાવે ફરસાણ તથા મીઠાઈઓ લેવા આગ્રહ કરવામાં આવે છે.
તો આ બ્રહ્મસમાજ દ્વારા આયોજિત જનતા તાવડાને સફળ બનાવવા બ્રહ્મસમાજના યુવા આગેવાનો.વિજયભાઇ રાજ્યગુ‚, વિશાલભાઇ જોષી , (એડવોકેટ) તથા કાયમી ધોરણે બ્રહ્મસમાજમા બ્રહ્મ ચોર્યાસી ની રસોઈ કરતા યુવા કંદોઈ પરેશભાઈ જોષી દ્વારા તનતોડ મહેનત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application