જામનગર જિલ્લાના ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે પાકોની સીધી ખરીદી કરવામાં આવશે
ખેડૂતો આગામી તા. 31 માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાશે
જામનગર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2023- 24 માં રાજ્ય સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે.
રાજ્ય સ્તરે લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનાલાઇન નોંધણી સ્થાનિક કક્ષાએ ઈ- ગ્રામ નોંધણી કેન્દ્ર પર વર્ચ્યુઅલ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા આગામી તા. 31 માર્ચ સુધી કરવામાં આવશે. ખેડૂતોએ નોંધણી કરાવવા માટે આધાર કાર્ડ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી- સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામ સાથેની બેન્ક ખાતાની પાસબુક અને કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે.
ખેડૂતોએ નોંધણી/રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તેમજ જ માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની ખાસ નોંધ લેવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થશે, તો તે ખેડૂતનો ક્રમ રદ્દ થશે, અને તેમને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં. જિલ્લાના જે ઘઉં પકવતા ખેડૂતો તેમનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક હોય, તો તેમની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે. આ માટે તેઓને જે- તે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવવા માટે અનુરોધ છે.
ખેડૂતોએ ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ અથવા તેમનું ઓળખપત્ર સાથે રાખવું. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકીશેન દ્વારા જ જથ્થાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને રજીસ્ટ્રેશન/ નોંધણી કરાવવા અંગે વધુ માહિતી મેળવવા માટે હેલ્પ લાઈન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ- 2, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech