જામનગર જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ પર્વ દરમિયાન દીકરીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે દીકરીઓને સુરક્ષિત રહેવા માટે કેટલીક મહત્વની સલાહ આપી છે. પોલીસે દીકરીઓને સલાહ આપી છે કે તેઓ ગરબા રમવા જતા પહેલાં તેમના પરિવારજનોને પોતાનું સ્થળ અને મિત્રોના નંબર જણાવી દે.
આ ઉપરાંત, પોતાના મોબાઈલમાં લોકેશન સેટિંગ હંમેશા ઓન રાખવું જોઈએ. પોલીસે દીકરીઓને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અને તેમના આપેલા ખાદ્યપદાર્થો ન લેવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવા અને પરિચિત જૂથમાં જ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.
પોલીસે દીકરીઓને અજાણી વ્યક્તિઓ સાથે એકાંતમાં ન જવા અને ભીડવાળા રસ્તાઓ પસંદ કરવાની સલાહ આપી છે. જો કોઈ મુશ્કેલી આવે તો તરત જ 100 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી આ સલાહને અનુસરીને દીકરીઓ નવરાત્રિ પર્વને સુરક્ષિત અને યાદગાર બનાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech