બપોરે ૩ કલાક બાદ મહામંથન શરુ થશે: પ્રથમ દિવસે રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા આપશે સંબોધન: પૂનમબેન માડમ, દિવ્યેશ અકબરી, વિનોદ ખીમસુર્યા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા, વિમલ કગથરા, રમેશ મુંગરા સહિતની ટીમ પહોંચી
આજ અને કાલ બે દિવસ રાજધાની નવીદિલ્હી ખાતે મળી રહેલી ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જામનગરનો કાફલો પહોંચી ગયો છે, બપોરે ૩ કલાક બાદ સત્તાવાર રીતે શરુઆત થશે અને આજે પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તથા ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે.પી. નડ્ડા ઉપસ્થિત તમામને સંબોધન આપશે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.
શનિ-રવિ બે દિવસ યોજાઈ રહેલી રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં સ્વાભાવિક રીતે આગામી લોકસભાની ચૂંટણી મુખ્ય મુદ્દો રહેવાની સંભાવના છે. આ ઉપરાંત ભાજપના દિગ્ગજો તરફથી દેશભરમાંથી આવેલા મંત્રીઓ, સાંસદો, લોકસભાના પ્રભારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, સંગઠ્ઠનના સૂત્રધારોને ચૂંટણીના અનુસંધાને જ માર્ગદર્શન આપવામાં આવશે.
આજે બપોરે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા માટે જામનગર ભાજપનો કાફલો નવી દિલ્હી પહોંચી ગયો છે જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, લોકસભાની ત્રણ બેઠકના ક્લસ્ટરના પ્રભારી આર.સી. ફળદુ, અમરેલી લોકસભા બેઠકના પ્રભારી હકુભા જાડેજા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સંગઠ્ઠનના પ્રભારી પલ્લવીબેન, જિલ્લાના પ્રભારી ભાનુભાઈ મહેતાનો સમાવેશ છે.
આજે પહેલાં દિવસે સત્ર ઉદ્ઘાટન થશે અને તેમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા દેશભરમાંથી આવેલા ભાજપના ટોંચના તમામ નેતાઓને આવકારશે તેમજ બે દિવસ ચાલનારી રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકનો મુખ્ય મુસદ્દો શું છે? તેનો સંકેત આપશે.
આવતીકાલના દિવસનો તમામને ઈન્તેજાર રહેશે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને તેઓ પોતાના સંબોધનમાં ભાજપના દેશભરના નેતાઓને શું માર્ગદર્શન આપે છે? લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કયા પ્રકારની રણનીતિ અપનાવવાનો સંદેશ આપે છે? એ મહત્વાનું બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech