જામનગરનું લીલાવતી નેચરક્યોર સેન્ટર દેશની બહાર ચમક્યું

  • June 01, 2024 11:33 AM 

નેચરક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર-લાખાબાવળની મુલાકાતે વૈશ્ર્વિક આરોગ્ય દેખરેખ અંગે જોડાણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળે લીધેલી મુલાકાત

લીલાવતી નેચરક્યોર સેન્ટર, લાખાબાવળની મુલાકાતે હાલમાં જ વિદેશથી એક પ્રતિનિધિ મંડળ જેમાં મેડીકલ નિષ્ણાંતો તેમજ આરોગ્યને લગત વહીવટક્તર્ઓિ કે જેઓ શ્રીલંકા સનાતન આયુર્વેદ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ તરફથી આવેલ હતા. તેમની સાથે ડો. સુશાંત સુદ (ઇટરા) જામનગરે સેન્ટરની મુલાકાત તા.ર3-0પ-ર0ર4 ના રોજ લીધેલ હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ જોડાણ અંગેની શક્યતાઓ જોવી, ઉત્તમ પદ્ઘતિઓની આપ-લે કરવી અને મેડીકલ ટેકનોલોજી અને દર્દીની માવજત માટે ઉપયોગમાં આવતી પદ્ઘતિઓની માહિતીની આપ-લે કરવી.


આ તબક્કે રમણીકલાલ કે. શાહ મેનેજીંગ ટ્રસ્ટી, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ તથા જીપાલ આર. પટેલ સીઈઓ (એડમીન) ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ અને લીલાવતી નેચરક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરના હેડ ડો.ગરિમા દવે, ડો.યજ્ઞીતા અને સેન્ટરની સમગ્ર ટીમ આ મુલાકાત અંગે ઉત્સાહીત હતી અને તેમણે કહ્યું કે, અમે આ સન્માનનીય પ્રતિનિધિમંડળને આવકારીને ધન્ય થયા છીએ. તેઓની મુલાકાત સમગ્ર વિશ્ર્વના સ્તરે મેડીકલ સાયન્સમાં વૈશ્ર્વિક ભાગીદારી અને દર્દીઓની સારવારમાં સુધારો કેટલા મહત્વના પરિબળો છે તે દશર્વિે છે. અમે સફળ ચચર્િ વિચારણાની અપેક્ષા રાખીએ છીએ, અને લાંબા ગાળાના જોડાણ માટે જે બંને સંસ્થાઓ તથા વિશ્ર્વની વસ્તીને ફાયદાકારક થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ.

આ મુલાકાત મેડીકલ રીસર્ચ, પ્રોફેશનલ તાલીમ અને જનતાના આરોગ્યના જતન માટેની ભવિષ્યના જોડાણની સંભાવનાઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ (એમઓયુ) સહી થશે તેવી અપેક્ષા છે. આ મુલાકાત અમારા આંતરરાષ્ટ્રીય જોડાણને મજબુત કરશે પરંતુ સાથે આરોગ્ય જતન અને શોધખોળ (ઇનોવેશન) નો માર્ગ મોકળો કરશે. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સહકાર અને આરોગ્ય જતન તેમજ મેડીકલ સંશોધનમાં મહત્વનું પગલું પુરવાર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application