- શ્રીલંકન બ્યુટીએ પતિયાલા કોર્ટમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
- અંતરંગ તસવીરો છતાં ઠગ સાથે કોઇ સંબંધ હોવાનો કર્યો ઇનકાર
બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ તેની પર્સનલ લાઈફને લઈને હાલ ખૂબ ચર્ચામાં રહે છે. તેમા પણ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ અભિનેત્રીની મુશ્કેલીઓ વધી રહી છે. એટલું જ નહીં બોલીવૂડના ગલિયારામાં બંનેના રિલેશનશિપને લઇને પણ રોજ નવી અફવાઓ ઉડતી રહે છે.
તાજેતરમાં જ આ અભિનેત્રી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. જ્યાં તેણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યું હતું કે, કોનમેન સુકેશ ચંદ્રશેખરે તેનું જીવન નરક બનાવી દીધું છે. અભિનેત્રીએ કહ્યું કે....
તેણે મારી લાગણીઓ સાથે દગો કર્યો છે અને મારું જીવન નરક બનાવી દીધું છે. સુકેશે પોતાની ઓળખ સન ટીવીના માલિક તરીકે આપી હતી. તેમજ તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાને પોતાની કાકી ગણાવ્યા હતા.
અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેની અને કોનમેન સુકેશ છેલ્લે 8 ઓગસ્ટ, 2021ના રોજ એક કોલ પર વાતચીત થઇ હતી. તે દિવસ પછી તેણે તેનો સંપર્ક ક્યારેય કર્યો ન હતો. જેક્લિને જણાવ્યું હતું કે સુકેશ અને પિન્કી હંમેશાં તેને છેતરવાનો ઇરાદો ધરાવતા હતા. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે પિંકી સુકેશ વિશે બધું જ જાણે છે પરંતુ તેણે ક્યારેય તેનો ખુલાસો કર્યો નથી.
ઈડીની પૂછપરછમાં જેક્લિને સ્પષ્ટતા કરી છે કે તેની અને સુકેશ વચ્ચે કોઈ સંબંધ નથી. ઈડીએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જેક્લિન ઠગ સુકેશ પાસેથી કિંમતી ગિફ્ટ લેતી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુકેશે શ્રીલંકામાં જેક્લિન માટે એક આલીશાન ઘર ખરીદ્યું હતું.
જ્યારે બીજી બાજુ એવા અહેવાલો આવ્યા હતા કે જેક્લિન પણ સુકેશ સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સુકેશ જેક્લિનનો ડ્રીમ બોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્મી ચીફ બન્યા બાદ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની એલઓસીની પ્રથમ મુલાકાત
July 03, 2024 05:49 PMશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMબિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી
July 03, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech