જેડીયુ એમએલસી ખાલિદ અનવરનું નિવેદન ‘નીતીશ કુમાર કરતાં વધુ સારો પીએમ કોણ હોય શકે’

  • June 04, 2024 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારની 40 લોકસભા બેઠકો પર મત ગણતરી ચાલુ છે. મત ગણતરીમાં NDA સૌથી આગળ છે, પરંતુ ભાજપ એકલા જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યું નથી. આ કારણે ગઠબંધન પક્ષો પર દબાણ આવવા લાગ્યું છે. બિહારમાં સીએમ નીતિશનું કદ વધ્યું છે. તેમની પાર્ટીના MLC ડૉ. ખાલિદ અનવરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારથી વધુ સારો પીએમ કોણ હોઈ શકે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધનમાં છે.


ડૉ.ખાલિદ અનવરે કહ્યું કે નીતિશ કુમાર એક અનુભવી રાજનેતા છે જે સમાજ અને દેશને સમજે છે અને તે તમામ લોકશાહી સંસ્થાઓનું સન્માન કરે છે. અમે હાલમાં NDA ગઠબંધનનો હિસ્સો છીએ, પરંતુ બિહારના 13 કરોડ લોકો ઈચ્છે છે કે નીતિશ કુમાર દેશનો ચહેરો બને. જો આજે બિહારમાં NDA 30-32 બેઠકો જીતવામાં સફળ રહી છે તો તે નીતિશ કુમારના કારણે છે. આજના પરિણામો બાદ લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application