પારકી પરિણીતાનો હાથ પકડતા યુવકની હત્યા કરી નાખ્યાનું ખુલ્યું

  • March 03, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાયાવદરના જામવાડી ચેકડેમમાંથી બે મહિના પૂર્વે મળેલી પુરુષની લાશનો ભેદ ભાયાવદર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ બનાવ અકસ્માતનો નહીં પણ મહિલાની છેડતીના કારણે હત્યાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાના બનાવમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર અને એક સગીરની અટક કરી તપાસ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસવડા હિમકર સિંહ ,ધોરાજીના ડીવાયએસપી સીમરન ભારદ્રાજ આ બનાવનો ભેદ ઉકેલવા સુચના આપી હતી. જેને લઇ ભાયાવદર પીઆઈ વી.એમ.ડોડીયા સહિતનો સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


દરમિયાન આ લાશ દિતિયા ઉર્ફે દિનેશની હોવાનું બહાર આવ્યા બાદ તેમની હત્યા કોણે કરી ? શા માટે કરી ? તે મુદ્દે બનાવની ભીતરમાં ગયેલી પોલીસને ટેકનીકલ સોર્સના આધારે ધારજી ફતીયા ગુલશનભાઈ બામનીયા (રહે.હાલ અરણીગામ રમેશભાઈ ગોકળભાઈ કાછડીયાની વાડીએ મુળ રહે.કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.) તેમજ કાયદાના સંઘર્ષમા આવેલ સગીર (રહે.કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.)એમ બંનેની પોલીસે અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતા બંનેને દિનેશની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.


દરમિયાન ધારજીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્નીનો હાથ પકડીને દિનેશે ઓરડીમાં ઢસડીને લઇ ગયો હતો જેથી ઝગડા થયો હતો. તેનો ખાર રાખીને બંનેએ એક સંપ કરીને દીતીયાને ગળે ટુંપો આપી લાશને ખેતરની બાજુના જામવાડી ચેકડેમમાં ફેંકી દઈને બનાવને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application