ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેમણે ખાન યુનિસ બ્રિગેડના એન્ટી ટેન્ક યુનિટના વડા યાકૂબ ઔશરને મારી નાખ્યો છે. તે જ સમયે સેનાએ કહ્યું કે તેઓએ મોહમ્મદ ખામીસ દબાબેશને પણ માર્યો છે. દબાબેશ હાલમાં હમાસની રાજકીય શાખમાં કામ કરી રહ્યો હતો, જો કે આ પહેલા તે હમાસની સશસ્ત્ર પાંખના વડા પણ રહી ચૂક્યા છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે તેણે હમાસના અન્ય કમાન્ડરોને પણ મારી નાખ્યા છે. જો કે, હમાસે મૃત્યુની પુષ્ટિ કરી નથી.
Today in Rafah, during the hours of 10:00-14:00, the IDF put in place a local tactical pause for Gazan civilians to evacuate.
— Israel Defense Forces (@IDF) November 13, 2023
Since Nov. 8, these tactical pauses have been upheld to allow civilians to evacuate southward.
We continue to reiterate to all those involved; we are… pic.twitter.com/T6nZeyVRfb
IDFના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચે સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો 239 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે ગાઝામાં કામ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલની સેના જમીન, હવાઈ અને નૌકાદળનો ઉપયોગ કરી રહી છે. ગાઝામાં અમારું અભિયાન ચાલુ છે. અમારું યુદ્ધ હમાસના લડવૈયાઓ સાથે છે. અમે ગાઝાના લોકોના વિરોધમાં નથી. આ ઉપરાંત ઈયુની વાત કરીએ તો, યુરોપિયન શહેર બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ટોચના રાજદ્વારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે EU ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને માનવતાવાદી કોરિડોરની સ્થાપના માટે આહ્વાન કર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech