ભાટિયામાં સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ દ્વારા ગણપતિનું વિસર્જન

  • September 17, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીકરીઓમાં બાળપણથી જ આધ્યાત્મિક મુલ્યોનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય અને સર્વાંગી કેળવણી મળે એ ધ્યેયને સાબિત કરતી સંસ્થા એટલે ભાટીયા ગામે આવેલી સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ. આ હોસ્ટેલમાં શિક્ષણની સાથે સાથે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે. જીવનના વધારેમાં વધારે અનુભવો મળે તથા વિદ્યાર્થી અવસ્થામાં પોતાનો સ્વ વિકાસ કરી શકે એવા ધ્યેયો સાથે આ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ હોસ્ટેલમાં સવાર-સાંજ પૂજા-આરતી કરવામાં આવી હતી. બાદમાં વિધિવત દીકરીઓ દ્વારા શોભાયાત્રા કાઢીને ભાટીયા ગામના કેશરીયા તળાવમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા સૌ દીકરીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application