પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે અન્ય દેશો પણ સક્રિય થયા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ બાદ વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તેવી અટકળો છે. ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની વાત કરી છે, જે બાદ એરલાઈન્સ કંપનીઓ એલર્ટ થઈ ગઈ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે બગડતી પરિસ્થિતિને કારણે કંપનીઓએ તેલ અવીવમાં ફ્લાઈટ સેવાઓ બંધ કરી દીધી છે.
એર ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ સેવા કરી બંધ
એર ઈન્ડિયાએ પણ તેલ અવીવ માટે તેની સેવા અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કંપનીએ જાહેરાત કરી હતી કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી પરિસ્થિતિને કારણે તેણે તેલ અવીવમાં ફ્લાઈટ સેવા બંધ કરી દીધી છે.
પેરિસ અને બેરુત વચ્ચેની ફ્લાઈટ રદ
ફ્રાન્સે પેરિસ અને બેરૂત વચ્ચેની ફ્લાઈટ પણ રદ કરી દીધી છે. આ સેવા 11 ઓગસ્ટ સુધી સ્થગિત રહેશે. બીજી તરફ ડેલ્ટા એરલાઈને 31 ઓગસ્ટ સુધી ન્યૂયોર્કથી તેલ અવીવ સુધીની સેવા બંધ કરી દીધી છે.
ઈરાને ઈઝરાયેલને આપી ધમકી
તમને જણાવી દઈએ કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું ઈરાનમાં કથિત ઈઝરાયેલ હુમલામાં મોત થયું હતું. જે બાદ ઈરાન બોખલાઈ ગયું છે અને તેણે ઈઝરાયેલને ઘણી વખત ખુલ્લેઆમ ધમકી આપી છે. ઈરાને કહ્યું કે ઈઝરાયલે હવે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech