મે વાપસ આઉંગા'' માં દેખાતી અંજના સુખાનીએ તાજેતરમાં ફિલ્મોમાં ઘનિ ધ્શ્યો અને કલાકારોએ ફિલ્મો શા માટે કરવી કે શા માટે છોડી દેવી જોઈએ તે વિશે સ્પષ્ટ્ર નિવેદન આપ્યું છે અને કહ્યું કે કયારે ના ન પાડવી. ફિલ્મો હાથમાંથી સરકી જાય તેના કરતા ફિલ્મ ની જો જરૂરીયાત હોય તો શરીર પ્રદર્શિત કરવું. એમ કશું ખોટું નથી જ.દરેક અભિનેતા પોતાની શૈલી પ્રમાણે કામ કરે છે. તેમના પોતાના નિયમો હોય છે. સલામ–એ–ઇશ્ક, ગોલમાલ રિટન્ર્સ અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અંજના સુખાની કહે છે, ''આ ઉધોગમાં કામ કરીને મેં એક વાત શીખી છે કે કયારેય ના ન કહેવું. યારે હત્પં પહેલી વાર આવી ત્યારે મેં ઘનિ દ્રશયો ન કરવાનો નિર્ણય લીધો હતો. સમય જતાં, મને સમજાયું કે આ વસ્તુઓ ફિલ્મમાં ફરજ પાડવામાં આવતી નથી. અંજનાએ કહ્યું, ''ઓછામાં ઓછું મેં જે દિગ્દર્શકો સાથે કામ કયુ છે તેમણે આવું કયુ નથી. જે અન્ય લોકો ફિલ્મી પૃભૂમિમાંથી નથી આવતા તેઓ ઘણીવાર ના પણ કહી શકતા નથી. જો તેઓ ના કહે, તો તેમનો એકમાત્ર વિકલ્પ ફિલ્મ છોડી દેવાનો છે. હવે, તમે ૧૦–સેકન્ડનો શોટ ચૂકવા માંગતા નથી. તમારે દિગ્દર્શક પર વિશ્વાસ કરવાની જરૂર છે કે તે તેને યોગ્ય રીતે શૂટ કરે. ગમે તે હોય, યારે તમને કોઈ ફિલ્મ ઓફર કરવામાં આવે છે, ત્યારે તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો. તેમ છતાં, જો તમને લાગે કે કંઈક યોગ્ય રીતે શૂટ થઈ રહ્યું નથી અથવા તમે સેટ પર અસ્વસ્થતા અનુભવો છો, તો તમે પ્રશ્નો પૂછી શકો છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application