બે વિમાનોની અથડામણ બાદ જાપાનના હાનેડા એરપોર્ટ પર આગ ફાટી નીકળ્યાના એક દિવસ બાદ બુધવારે પરિવહન અધિકારીઓ અને પોલીસે અલગ-અલગ તપાસ શરૂ કરી હતી. જાપાન પરિવહન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ બંને વિમાનોના પાઇલોટ અને અધિકારીઓ તેમજ એર ટ્રાફિક કંટ્રોલ અધિકારીઓની પૂછપરછ કરવાની યોજના બનાવી રહ્યા છે.
બે વિમાનોની અથડામણ બાદ જાપાનના હાનેડા એરપોર્ટ પર આગ ફાટી નીકળ્યાના એક દિવસ બાદ બુધવારે ટ્રાન્સપોર્ટ અધિકારીઓ અને પોલીસે અલગ-અલગ તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા.
પોલીસ તપાસમાં જોડાઈ
તમને જણાવી દઈએ કે વિમાનોના અથડાવાનું કારણ શું હતું તે જાણવા માટે પરિવહન સુરક્ષા અધિકારીઓ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર અને પ્લેનના પાયલટ વચ્ચેની વાતચીતના આધારે તપાસ કરી રહ્યા છે. પોલીસે સંભવિત બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે. ટોક્યો પોલીસે જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ રનવે પરના કાટમાળની તપાસ કરી હતી અને પૂછપરછ ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
પેસેન્જર પ્લેન જાપાન એરલાઇન્સનું એરબસ A-350 હતું, જેણે સાપોરો શહેર નજીક શિન ચિટોઝ એરપોર્ટથી હાનેડા માટે ઉડાન ભરી હતી. સોમવારે આ પ્રદેશમાં આવેલા પ્રચંડ ભૂકંપથી અસરગ્રસ્ત રહેવાસીઓને રાહત પુરવઠો પહોંચાડવા માટે કોસ્ટ ગાર્ડ પ્લેન નિગાતા તરફ જવાનું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech