ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનના ત્રણ અધિકારીઓ સામે વહીવટના મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચતા ખાનગી રાહે તપાસનો ધમધમાટ શ કરવામાંઆવ્યો છે અને તાજેતરમાં વડી કચેરીના આદેશથી આ મામલે તપાસ અર્થે એક ઉચ્ચ અધિકારી બ રાજકોટ આવી તપાસ કરી રવાના થયા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં એસટી ડિવિઝનના કર્મચારી સુત્રોમાંથી પ્રા થતી વિગતો મુજબ થોડા સમય પૂર્વે રાજકોટ એસટી ડિવિઝનમાં ચાલતા કથિત ગોટાળા અને કથિત વહીવટ મામલે સ્થાનિક અધિકારીઓ ઉપર આક્ષેપો કરતી ફરિયાદ મેનેજિંગ ડિરેકટર સુધી પહોંચતા ઉચ્ચ કક્ષાએથી તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો, દરમિયાન આ અન્વયે ગઇકાલે નિગમના એક ઉચ્ચ અધિકારી રાજકોટ આવ્યા હતા અને કથિત ફરિયાદ મામલે વિભાગીય નિયામક, વિભાગીય પરિવહન અધિકારી અને વોલ્વો ડેપો મેનેજર સહિતના ત્રણ અધિકારીઓની પૂછપરછ કરી અમદાવાદ રવાના થયા હોવાનું જાણવા મળે છે.
આગામી દિવસોમાં ઉપરોકત મામલાની તપાસ પૂર્ણ થયે નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે, જો કે હજુ મામલો સંદિગ્ધ હોય આ મામલે સત્તાવાર રીતે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. છેલ્લા એકાદ મહિનાથી ઉપરોકત ત્રણેય અધિકારીઓ વિધ્ધ ઉચ્ચકક્ષાએ ફરિયાદ થયાની વાતો ચર્ચાઇ રહી હતી પરંતુ મામલો કચેરીના વર્તુળો પૂરતો જ સીમિત રહ્યો હતો પરંતુ તપાસ અર્થે અધિકારી આવતા અને પૂછપરછ કરતા વિગતો બહાર આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech