રાજકોટ શહેરમાં ભારે વરસાદ દરમિયાન ધરાશાયી થયેલા ૬૦૨ વૃક્ષોનું લાકડું સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર સભ્ય વગેરે કરી દેવાયું હોવાની શંકા પ્રબળ બનતા આ મામલે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્રારા આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને લાકડા કૌભાંડની તપાસ સ્મશાનમાં જઇને કરવાની માંગણી કરી હતી.
રાજકોટ મહાપાલિકામાં આજે કોંગ્રેસ દ્રારા મ્યુનિસિપલ કમિશનરને લાકડાનો જથ્થો અર્પણ કરીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયા જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, મેઘજી રાઠોડ, દીિબેન સોલંકી, નયનાબા જાડેજા, રાજદીપસિંહ જાડેજા, ધરમ કાંબલીયા, રણજીત મૂંધવા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ૧૫ દિવસમાં લાકડા કૌભાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા લેખિત માંગ ઉઠાવી હતી
૧૫ દિવસમાં તપાસ રિપોર્ટ આવશે: કમિશનર
લાકડા મુદ્દે થયેલા વિવાદમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં આ અંગેનો તપાસ રિપોર્ટ આવશે અને હાલમાં ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ આ અંગેની તપાસ ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં જોખમી કાર્યોમાં જોડાયેલા બાળ મજૂરો રેસ્ક્યુ માટે ડ્રાઈવ
June 07, 2025 11:48 AMરાજકોટ : બકરી ઇદ નિમિતે ઇદગાહ ખાતે નમાઝ અદા કરી, કોમી એકતાની દુઆ કરાઈ
June 07, 2025 11:44 AMPM મોદીને કેનેડા આવવાનું નિમંત્રણ કેમ આપ્યું? માર્ક કાર્નીએ જવાબ આપ્યો આવો જવાબ
June 07, 2025 11:39 AMવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ખંભાળીયા ટિમ દ્વારા કરાયું વૃક્ષારોપણ
June 07, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech