એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા સાગમટે બદલીનો ગંજીફો ચિપાયો : એલસીબી, એસઓજી, ટ્રાફિક, પેરોલફર્લો સહિતના કર્મીઓના ઓર્ડર નીકળ્યા
જામનગર જિલ્લાના જિલ્લા પોલીસવડાએ ગઈકાલે બદલીનો ગંજીપો ચિપ્યો હતો જેમાં એકી સાથે ૯૩ પોલીસ કર્મચારીઓની આંતરીક ફેરબદલીના ઓર્ડર કરાયા છે. જેમાં એલસીબી એસઓજી સહિતની મહત્વની કચેરીના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે બદલીઓના ઓર્ડર કાઢ્યા હતા, અને ૯૩ પોલીસ કર્મચારીઓની ફેરબદલી કરી નાખવામાં આવી છે.
જામનગરની એલસીબી કચેરીમાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓ બદલાયા છે, તે જ રીતે એસ.ઓ.જી. માં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનો, પેરોલ ફર્લો, ટ્રાફિક, સાયબર ક્રાઇમ, કાલાવડ, મેઘપર, લાલપુર, ધ્રોલ, જામજોધપુર સહિતના પોલીસ સ્ટેશનમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે, અને પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે.
એલસીબીના રાકેશ ચૌહાણ, અશોક સોલંકી, ભગીરથસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, એસઓજીના અરજણ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, શોભરાજસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના અમિત ગઢવી, હરપાલસિંહ પરમાર, દર્શિત સીસોદીયા, દિનેશ સાગઠીયા, સોયબ મકવા, સજનસિંહ જાડેજા, હિતેન્દ્ર ચાવડા, ચંદ્રસિંહ પરમાર, પેરોલ ફર્લો સ્કવોડના યોગરાજસિંહ રાણા, ઘનશ્યામ ડેરાવડીયા, એબ્સકોડના કાસમ બ્લોચ, સાયબર ક્રાઇમના ગીતાબેન હિરાણી, ચંપાબેન વાઘેલા, કલ્પેશ મૈયડ, કયુઆરટીના પુષ્પરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા વિગેરે તાલુકા મથકોના પોલીસ કર્મીઓનો બદલીમાં સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech